Archive for March, 2017

અનરિલાયેબલ રિલાયન્સ !

March 26, 2017

ઑહ ! વન્સ અગેઇન ઇટ ઇઝ                                                                                                                                       અનરિલાયેબલ રિલાયન્સ !                                                                                                                                                                        #મનેનમો – મહાન નેતા નરેન્દ્ર મોદીને પોતાના વગવિસ્તાર વર્તુળમાં લઇ તેઓને ખાસ તો ચૂંટણી સમયે મફત હવાઇ મુસાફરીનો અને ભાજપ @ ખાજપને મબલક  “અમૂલ વ્હાઇટ “ ચૂંટણી ભંડોળ આપીને ઠેઠ ગળા સુધી ભ્રષ્ટ કરનાર #મુકેશનીતાઅંબાણીની રિલાયન્સના નામેદામે અને #મનેનમો – મહાન નેતા નરેન્દ્ર મોદીની ક્રુપાના પુણ્યપ્રતાપે શ્રી ૪૨૦ જેવા સક્ષમ અધિકારી અને તેઓને ટપી જાય તેવા કલેક્ટરો, પ્રાંત અધિકારીઓ , મામલતદારો ,સર્કલ ઑફિસરો, તલાટીઓના સહારે રિલાયન્સ ગેસ કંપનીના  અધિકારીઓ ગુજરાતના ખેડૂતો અને મિલ્કતદારોના હાથ કાંડા અને નાક કાન કાપીને આજસુધી પોતાની ગેસ લાઇન નાખવાના બહાને રીતસર રણ પાડી રહ્યા છે. એકને ગૉળ અને બીજાને ખૉળ આપીને ખાતેદારોને ખૂટલ બનાવ્યા છે. પણ હવે  શેઠ ભેગા વાણોતરોના લુગડાં ઉતરી જાય તેવા દિવસો આવ્યા છે.

સરકાર અને તેના અધિકારીઓને સાધીને બધી જાહેર સુનાવણીઓમાં કંપનીની સંપૂર્ણ તરફેણમાં બધા રિપોર્ટ મેળવ્યા પછી પણ પોતાની મકસદ સાધી શક્યા નથી.પોલિસ રક્ષણ નીચે પણ તેઓ લાઇન નાંખી શક્યા નથી .                                                                                                                                કેમ ?

પહેલી ગેસલાઇન નાંખતી વખતે દરેક ખાતેદારના હકપત્રક , ગામ નમૂનો ૭ અને ૧૨ મા બીજા હકમાં  રિલાયન્સના લાભમાં જે ચીતરામણો થયા ,વળતરનો કોઇ ઉલ્લેખ નહિ થયો , કંપનીની જવાબદારીનો કોઇ ઉલ્લેખ નહિ થયો તે કાર્યવાહી જ ગેરબંધારણીય છે.

ખાતેદારો ફક્ત વળતરના મુદ્દે જ લડાઇ લડે છે .

વકીલો પણ આ મુદ્દે કેમ ઉદાસ છે તે ગમારને પણ સમજાય તેવું છે.

આ પીડિતને તો   હરામખોર કંપનીના બદમાશ અધિકારીઓએ જે વીતાડેલી તે બેનમૂન છે.

મારા પડોશીઓને પીડિત બનાવ્યા અને મને નુકશાન પહોંચાડયું. તેટલેથી અટક્યા નહિ ! મે જ્યારે નુકશાની માગી તો મને પડોશી પાસે લેવા કહ્યું,

શ્રી ૪૨૦ જેવા સક્ષમ અધિકારી ગોહિલે તો કાગળ પર લખીને આપી દીધું કે તમે માંગો તેવુ થર્ડ પાર્ટી ડેમૅજ આપવાની તો કાયદામાં જ કોઇ જોગવાઇ નથી !

છેલ્લી ત્રણ પેઢીથી જેઓ સાથે અમારે સારા સંબંધો તે જમુકાકાના દીકરાઓને આ હરામખોર મુકેશના બદમાશ અધિકારીઓએ મારી સામે હલાલ થવા મૂકી દીધા . મેં  #મનેનમો – મહાન નેતા નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો ત્યારે મુકેશ નીતા અંબાણીના “સાધુ”નુ  ખરું  “શેતાન” સ્વરુપ નજરે આવ્યું . બાકી હતુ તે મુકેશના બનેવી સૌરભ પટેલ ઉર્ફે દુર્ગન્ધ દલાલ અને નવસારીના મહેસૂલી સાહેબ બહાદૂરોએ પુરૂં કર્યું .

તે પ્રકરણ હજુ પત્યું નથી, મારે તે પતાવવું પણ નથી ! મારી “અનરિલાયેબલ રિલાયન્સ”  સામેની લડાઇ મેં સફળતાપૂર્વક ગુજરાત બહાર પાંચ રાજ્યોમાં વિસ્તારી છે.

બેન આનદીને સમયપત્રક ના ચાર મહિના પહેલા ઘરે બેસાડી !

મુકેશ નીતા બેખૂબી નરેન્દ્ર મોદીનો “શિખંડી” તરીકે ઉપયોગ કરે છે.

મુકેશ નીતા સામેનુ દરેક તીર મોદીને વાગે છે એટલે દેશના ૨૧૯ જિલ્લાઓમાંના મારા સ્વયંસેવકો લાચાર થઇને બેઠા કેમ કે મોદી નબળો પડે તો દેશ નબળો પડે. મુકેશ નીતાને તો પાકિસ્તાન પહોંચી વળશે ! પાકિસ્તાનને મોદી !

હવે મોદીનો વિકલ્પ મને મળ્યો છે. મારા સ્વયંસેવકો બહુમતિથી જે ઠરાવશે તે થશે !

હવે મોદીને વારાફરતી ઘણી તકો આપીશું. ૨૦૧૯માં મોદી ક્યાં હશે ?! ક્યાં તો જેલ કે અત્યારનું સિંહાસન ! તે પણ તે મુકેશ નીતાનું કેવું વેતરે છે તેનાથી નક્કી થશે !

મે મારા પડોશી ભાઇ-ભત્રીજાઓને મૂકી દીધા અને #પથ્થરવિભૂષણ ધીરુ અંબાણીના મુખ્ય વારસને જ નિશાન બનાવ્યો !

ડિસ્ટ્રિકટ કોર્ટ સમક્ષ જ્યારે કેસ હોય ત્યારે બધા અસીલોએ સાથે જઈને કૉર્ટમાં બેસવું.એવી છ મુદત જાય પછી બધાએ સામૂહિક રજૂઆત કરવી . જજ સાહેબ પણ બધું જ સમજે . જુઓ પછી ચમત્કાર ! બધી ગાંઠ અહીં ઉકેલવાનુ કે ખોલવાનું યોગ્ય નથી.

” ઠરાવ પર ઠરાવ ” એ જ તો અનરિલાયેબલ રિલાયન્સના અને બીજા બદમાશોની રમત હોય છે. જજ સાહેબ તેઓમાંના નથી હોતા એની સૌએ ખાત્રી રાખવી

રિલાયન્સ જિઓના  ટાવરોના પોલંપોલના નમૂના દાખલ કૉન્ટ્રાક્ટ મારા હાથમાં આવ્યા છે. મુકેશ નીતા – મોદીની સામેના નવાં બાણ જ સમજો ને !